વઢવાણ સુરેન્દ્રનગર માળોદ પાસેની નર્મદા કેનાલમાં સાયફનની સાફ સફાઈ અભિયાન પાર પાડ્યું
- માળોદ પાસેની કેનાલમાં પાલિકાની સાહસિક ટીમએ સફાઈ અભિયાન પાર પાડ્યું
- ક્રેન મારફત નર્મદા કેનાલમાં આવેલ સાયફનની સાફ સફાઈ હાથ ધરી

માળોદ પાસેની કેનાલમાં પાલિકાની સાહસિક ટીમએ સફાઈ અભિયાન પાર પાડ્યું. સુરેન્દ્રનગર વિસ્તારમાં આવતી માળોદ નર્મદા કેનાલમાં સાયફનની સાફ સફાઈનું અભિયાન સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં પાલિકાના ચીફ ઓફિસર સંજય પંડ્યાના આદેશથી અને પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યની મદદથી ક્રેન મારફત નર્મદા કેનાલમાં આવેલ સાયફનની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.
જોરાવરનગરના ખમીસાણા રસ્તા પાસેથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ
અત્રે ઉલ્લેખનીય છે કે આ કેનાલમાં ડૂબી જવાના કિસ્સામાં ડેડ બોડી સાયફનમાં ફસાઈ જવા બાદ બહાર આવતી ન હતી ત્યારે પાલિકાની ફાયર વિભાગના સુપ્રિટેન્ડેન્ટ છત્રપાલસિંહ ઝાલા તેમજ તેમની ટીમ દ્વારા ક્રેનની મદદથી કેનાલમાં ફસાયેલ મસમોટા જાડી જાખરા બહાર કાઢીને સાયફનની સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરની લોકસેવા અને ગરીબોના હમદર્દ બનવાની ભાવનાને બિરદાવાઈ