વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરની લોકસેવા અને ગરીબોના હમદર્દ બનવાની ભાવનાને બિરદાવાઈ
- લોકસેવા અને ગરીબોના હમદર્દ બનવાની ભાવનાને બિરદાવાઇ
- સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશને ગાંધીનગર ખાતે બદલી
- વિચરતી વિમુક્ત જાતિના લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના શાસનકાળ દરમિયાન લોકસેવા અને ગરીબોના હમદર્દ બનવાની ભાવનાને બિરદાવાઇ. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશને ગાંધીનગર ખાતે બદલી થવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવવાના છેલ્લા દિવસે વિચરતી વિમુક્ત જાતિના લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી.
આમ સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં વિચરતી વિમુક્ત જાતિના લોકોએ ઉપસ્થિત રહીને સુરેન્દ્રનગરના કલેકટરની લોક સેવા આપવાની પ્રાધાન્યતા અને ગરીબોના હમદર્દ બની રહેવાની ભાવનાને બિરદાવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગરની રામકૃષ્ણ પ્રાથમિક શાળા નંબર-17 ખાતે નિવૃત થતા શિક્ષિકાએ સ્કૂલને આરો ભેટ આપી
આ તકે જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં આવતા તેઓના મુખ પર હર્ષના આંસુ પણ વહ્યા હતા અને આ તકે શ્રમજીવી વિચરતી વિમુક્ત જાતિના લોકોએ કલેકટરની કામગીરીને બિરદાવી પણ હતી.