વઢવાણ સુરેન્દ્રનગર બી.આર.સી (BRC) ભવન ખાતે શિક્ષકો માટે ફેર બદલી કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર બી.આર.સી ભવન ખાતે શિક્ષકો માટે ફેર બદલી કેમ્પ યોજાયો.
- 70 જેટલા શિક્ષકોને તેમના વતનનો લાભ આપવામાં આવ્યો

સુરેન્દ્રનગર બી.આર.સી (BRC) ભવન ખાતે શિક્ષકો માટે ફેર બદલી કેમ્પ યોજાયો. સુરેન્દ્રનગર પતરાવાળી પાસે આવેલ બી.આર.સી (BRC) ભવન ખાતે શનિવારે જિલ્લા ફેર બદલી કરતો શિક્ષકોનો કાર્યક્રમ યોજાયો હતો.
વઢવાણ સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં પશુ-પક્ષીઓ માટે ચણ અને ચોખ્ખું પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ
જેમાં વતનની રાહ જોતા 70 જેટલા શિક્ષકોને તેમના વતનનો લાભ આપવામાં આવતા તેઓના મુખ પર ખુશી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, શિક્ષણ સમિતિના ચેરમેન મુંજપરા, રથવીભાઈ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ અને મહામંત્રી દશરથસિંહ અસ્વાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર ઇન્ડિયન પબ્લિક સ્કૂલ (IPS) ખાતે ભાજપ પ્રમુખને શુભેચ્છા આપતો કાર્યક્રમ યોજાયો