વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સંસ્થાઓને USA ટ્રસ્ટ દ્વારા 8 જેટલા ઓક્સિજન મશીન અર્પણ કરાયા
- સુરેન્દ્રનગરમાં કોરોનાની સ્થિતિ વચ્ચે દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.
- યુએસએમાં આવેલ શ્રી ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા ઓક્સિજન મશીન અર્પણ કરાયા
![વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સંસ્થાઓને USA ટ્રસ્ટ દ્વારા 8 જેટલા ઓક્સિજન મશીન અર્પણ કરાયા](http://soham24.in/wp-content/uploads/2021/05/સુરેન્દ્રનગર-શહેરમાં-બે-સંસ્થાઓને-USA-ટ્રસ્ટ-દ્વારા-8-જેટલા-ઓક્સિજન-મશીન-અર્પણ-કરાયા-300x300.png)
સુરેન્દ્રનગરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે યુએસએના ટ્રસ્ટ દ્વારા આઠ જેટલા ઓક્સિજન મશીન ફાળવાયા. સુરેન્દ્રનગરમાં કોરોનાની સ્થિતિ વચ્ચે દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.
ત્યારે આ પરિસ્થિતિમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજનની ખાસ જરૂરિયાત ઉપસ્થિત થતી હોય તેવા સમયે યુએસએમાં આવેલ શ્રી ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા શ્રી ઉમિયા માતાજી મંદિર સુરેન્દ્રનગરને પાંચ નંગ ઓક્સિજન મશીન અને શિવલાલ આણંદજીભાઇ મકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગરને ત્રણ નંગ ઓક્સિજન મશીન કોરોનાના દર્દીઓને મદદરૂપ થવાની ભાવના સાથે અર્પણ કરવામાં આવ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રસીકરણ જાગૃતિ અભિયાન હાથ ધરવાની માંગ કરાઈ
આમ આઠ જેટલા ઓક્સિજન મશીનો યુએસએના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોએ આગળ આવીને લોકહિતાર્થે ઓક્સિજન મશીન ફાળવવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર રતનપર સોમનાથ ચોકમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ