વઢવાણ સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપરથી પશુ ભરેલ ગાડી પોલીસે ઝડપી પશુઓ મુક્ત કરાવ્યા
- સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપરથી પશુ ભરેલ ગાડી પોલીસે ઝડપી પશુઓ મુક્ત કરાવ્યા.
- પશુઓ ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કર્યા વિના તેમજ દોરડાથી ક્રૂર રીતે બાંધેલી હાલતમાં
![વઢવાણ સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપરથી પશુ ભરેલ ગાડી પોલીસે ઝડપી પશુઓ મુક્ત કરાવ્યા](http://soham24.in/wp-content/uploads/2021/06/વઢવાણ-સુરેન્દ્રનગર-રિવરફ્રન્ટ-રોડ-ઉપરથી-પશુ-ભરેલ-ગાડી-પોલીસે-ઝડપી-પશુઓ-મુક્ત-કરાવ્યા-300x225.png)
સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપરથી પશુ ભરેલ ગાડી પોલીસે ઝડપી પશુઓ મુક્ત કરાવ્યા. સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપર આવેલ માતાજીના મંદિર સામે ત્રણ પશુઓને છોડાવી વઢવાણ મફતીયા પરામાં રહેતા સોયેબભાઈ અબ્દુલભાઈ દીવાન સામે 04 જૂનને બપોરે 03 કલાકે પોલીસ ફરિયાદ થવા પામી છે.
આ બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ ઈસમએ પોતાના હવાલાવાળી સફેદ કલરની બોલેરો ગાડીમાં ત્રણ પશુઓ ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કર્યા વિના તેમજ દોરડાથી ક્રૂર રીતે બાંધેલી હાલતમાં વહન થતાં પોલીસે આ બનાવમાં ગુનો નોંધ્યો છે. આ બનાવની પોલીસ કર્મચારી રમેશભાઈ કણજરીયાએ એ ડિવિઝન પોલીસ મથકે વઢવાણ મફતીયા પરામાં રહેતા સોયેબભાઈ દીવાન સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કાંતિભાઈ પરમાર ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણ નવા દરવાજા પાસે પૈસાની લેતીદેતી મામલે હુમલો, પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ