પોલીસકર્મી સામે દહેજ માંગ્યાની ફરિયાદ
- શારીરિક અને માનસિક ત્રાસ આપી ઢીંકાપાટુનો માર મારી છૂટાછેડા આપવાની ધમકી આપી
- દહેજ પેટે પૈસા અને કરિયાવરની માંગણી કરતા હતા.

વઢવાણ તાલુકાના રામપરા ગામના દલસુખભાઇ નાનભા ચાવડાની પુત્રી મિતલબેનના લગ્ન રાજકોટ ખાતે રહેતા અને પોલીસમાં ફરજ બજાવતા દિલીપસિંહ જેસીંગભાઇ જાદવ સાથે સાત વરસ પહેલા લગ્ન થયા હતાં.
લગ્ન બાદ પરિણીતા મિતલબેનને સાસરિયામાં ઘરકામ બાબતે મેણા ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપી ઢીંકાપાટુનો માર મારી છૂટાછેડા આપવાની ધમકી આપી દહેજ પેટે પૈસા અને કરિયાવરની માંગણી કરતા હતા. આથી મિતલબેને રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ લાઇનમાં રહેતા સાસુ વાલીબેન, પતિ દિલીપસિંહ જાદવ વિરુદ્ધ મહિલા પોલીસ સુરેન્દ્રનગરમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. પી.આર.સોનારા ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં લોકોની ચહલપહલથી અને વાહનોથી ધમધમતા રોડ સૂમસામ બન્યા