સુરેન્દ્રનગર વઢવાણ વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ
- વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી મારમારી પથ્થરના ઘા કરી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ.
- પથ્થરના કારણે ઓરડાના નડિયા તેમજ સિમેન્ટના પતરા તોડી નુકસાન
![સુરેન્દ્રનગર વઢવાણ વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ](http://soham24.in/wp-content/uploads/2021/05/સુરેન્દ્રનગર-વઢવાણ-વાડલા-ગામે-જૂનુ-મનદુઃખ-રાખી-મારમારી-પથ્થરના-ઘા-કરી-300x225.png)
વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી મારમારી પથ્થરના ઘા કરી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ. વઢવાણ તાલુકાના વાડલા ગામે જૂની બાબતનું મનદુઃખ રાખતા માથાકુટ થઇ હતી.
આ બનાવમાં પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીના ઘરે તેઓના ગામના જશવંતભાઈ ખેર મજૂરીનું કહેવા માટે આવેલ હોય જશવંતભાઈના સબંધી સાથે મનદુઃખ થયું હોય તે બાબતે ફરિયાદી તથા સાહેબને ગાળો આપી તેમજ છૂટા પથ્થરોના ઘા કરી ફરિયાદીના પિતા સાહેબને મૂંઢ ઈજા પહોંચાડી તેમજ પથ્થરના છુટા ઘા થી ફરિયાદીના ભાઈને પણ ઈજા પહોંચાડી આ ઉપરાંત પથ્થરના કારણે ઓરડાના નડિયા તેમજ સિમેન્ટના પતરા તોડી નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની વાડલા વણકરવાસમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશ કાળુભાઈ મકવાણાએ એજ ગામમાં રહેતા હિતેશભાઈ રાઠોડ, હિંમતભાઈ રાઠોડ, પિન્ટુભાઈ રાઠોડ, દેવજીભાઈ રાઠોડ, પ્રવીણભાઈ રાઠોડ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર ગોહિલ ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોકડાઉન લંબાવવા અનુરોધ કરાયો