સુરેન્દ્રનગર વઢવાણ ઘરશાળા રોડ ઉપર આવેલ રસીકરણ કેન્દ્ર ઉપર વહેલી સવારથી જ લોકોનો ધસારો
- રસીકરણ કેન્દ્ર ઉપર વહેલી સવારથી જ લોકોનો ધસારો.
- કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં પણ વધારો
- 45 વર્ષથી વધુ ઉંમરના લોકો કોરોનાની રસી લેવા બાબતે ઉમટી પડ્યા
- રસીનો ડોઝ ન મળવાના કારણે અસંતોષની લાગણી
![સુરેન્દ્રનગર વઢવાણ ઘરશાળા રોડ ઉપર આવેલ રસીકરણ કેન્દ્ર ઉપર વહેલી સવારથી જ લોકોનો ધસારો](http://soham24.in/wp-content/uploads/2021/05/સુરેન્દ્રનગર-વઢવાણ-ઘરશાળા-રોડ-ઉપર-આવેલ-રસીકરણ-કેન્દ્ર-ઉપર-વહેલી-સવારથી-જ-લોકોનો-ધસારો-300x225.png)
વઢવાણ ઘરશાળા રોડ ઉપર આવેલ રસીકરણ કેન્દ્ર ઉપર વહેલી સવારથી જ લોકોનો ધસારો. સુરેન્દ્રનગરમાં એક બાજુ કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધવા સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે. ત્યારે બીજી બાજુ કોરોનાની રસી લેવા બાબતે લોકોની ભીડ પણ જામતી જોવા મળી રહી છે.
વઢવાણ ઘરશાળા રોડ ઉપર આવેલ વેક્સિન કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ 45 વર્ષથી વધુ ઉંમરના લોકો કોરોનાની રસી લેવા બાબતે ઉમટી પડ્યા હતા અને ભીડ જમાવતા જોવા મળ્યા હતા. ત્યારે વહેલી સવારથી જ વેક્સિન લેવા માટે ઊભેલા લોકોને કોરોનાની રસીનો ડોઝ ન મળવાના કારણે અસંતોષની લાગણી પણ ઉભી થવા પામી હતી. આમ કોરોના વાયરસના સંક્રમણથી બચવા લોકો કોરોનાની રસી લેવા બાબતે રસીકરણ કેન્દ્રો ઉપર ભીડ જમાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ તેજ બનાવાયું