સુરેન્દ્રનગર જોરવરનગર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઉકાળા વિતરણનું આયોજન
- જોરવરનગર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઉકાળા વિતરણનું આયોજન
- 500થી વધુ લોકોએ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ઉકાળાનું સેવન
જોરવરનગર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. હાલ કોરોનાની વૈશ્વિક મહામારી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાના ભયએ વાતાવરણ ઉભુ કર્યું છે.
ત્યારે આ સમયમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાના ભાગરૂપે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સુરેન્દ્રનગરના સહયોગથી જોરવરનગરના ઉત્સાહિ યુવા કાર્યકર દુષ્યંતભાઈ આચાર્ય અને તેમની ટીમ તેમજ સેવાભાવી લોકો દ્વારા જોરાવનગર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર વઢવાણ ઘરશાળા રોડ ઉપર આવેલ રસીકરણ કેન્દ્ર ઉપર વહેલી સવારથી જ લોકોનો ધસારો
જેમાં 500થી વધુ લોકોએ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ઉકાળાનું સેવન કરીને સેવા કાર્યને બિરદાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર પી.પી.પરમાર, મનોજ પંડ્યા, ડોક્ટર બારૈયા, યોગેશભાઈ જાની વિગેરે જહેમત ઉઠાવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગરની ન્યુ સરદાર પટેલ વિદ્યાલય ખાતે ડિજિટલ મોનીટરીંગ સિસ્ટમ સાથેનું કોવિડ સેન્ટર