વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિત્તે સાદગીપૂર્ણ રીતે ઉજવણી
- સુરેન્દ્રનગર જિલ્લામાં બ્રાહ્મણોએ ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિત્તે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરી.

સુરેન્દ્રનગર જિલ્લામાં બ્રાહ્મણોએ ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિત્તે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પરશુરામ ભગવાનની જન્મ જયંતી નિમિત્તે ભૂદેવો દ્વારા સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ભૂદેવોએ પોતાના ઘરે રહીને ભગવાન પરશુરામના આશીર્વાદ મેળવવા સાદગીપૂર્ણ રીતે આરતી કરી જય જય પરશુરામ ના જય ઘોષ સાથે પરશુરામ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીસી (NCC) પસંદગીના વિષય તરીકે મંજૂરી આપવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે બ્રાહ્મણ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ભગવાન પરશુરામ દાદાની શોભાયાત્રા પણ મોકૂફ રાખવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર મલ્હાર ચોકમાં ઝડપાયેલ રિક્ષા ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ