વઢવાણ સુરેન્દ્રનગર કતલખાનાનું લાયસન્સ રદ્દ કરવાની માંગ સાથે AHP દ્વારા DSP ઓફિસે કરાઈ રજૂઆત
- કતલખાના માટે વપરાતું લાઇસન્સ રદ કરવાની માંગ
- સુરેન્દ્રનગર પોલીસવડાને લેખિત રજૂઆત કરવામાં આવી

ડી.એસ.પી.ને એ.એચ.પી. સંગઠન દ્વારા કતલખાના માટે વપરાતું લાઇસન્સ રદ કરવાની માંગ કરી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેજા હેઠળ સુરેન્દ્રનગર પોલીસવડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ શોપ એક્ટ લાઇસન્સ તાત્કાલીક રદ કરવાની માંગ કરવામાં આવી છે.
તેમજ લાયસન્સમાં મદદ કરનાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર ડી.એસ.પી. ઓફિસે આપવામાં આવ્યું છે. આમ ગૌવંશની ધોળાદિવસે ખુલ્લે આમ કતલ કરવા માટે વપરાતું લાયસન્સના કારણે પશુ પ્રેમીઓની લાગણી દુભાઈ હોવાની રજૂઆત થવા પામી છે.
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે VHPના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું
આથી આ બાબતે જવાબદાર ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ માંગ ઉઠાવી છે.