વઢવાણ સુરેન્દ્રનગર RTO ઓફિસ બહાર બોલાવી માથાકૂટ કરી હુમલો, ત્રણ ઈસમો સામે પોલીસ ફરીયાદ
- સુરેન્દ્રનગર આરટીઓ ઓફિસ બહાર બોલાવી માથાકૂટ
- બે ને ઈજા પહોંચ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ
- દુકાનમાં લઈ જઈ શર્ટર બંધ કરી હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ
![વઢવાણ સુરેન્દ્રનગર RTO ઓફિસ બહાર બોલાવી માથાકૂટ કરી હુમલો, ત્રણ ઈસમો સામે પોલીસ ફરીયાદ](http://soham24.in/wp-content/uploads/2021/05/વઢવાણ-સુરેન્દ્રનગર-RTO-ઓફિસ-બહાર-બોલાવી-માથાકૂટ-કરી-હુમલો-ત્રણ-ઈસમો-સામે-પોલીસ-ફરીયાદ-300x225.png)
સુરેન્દ્રનગર આરટીઓ ઓફિસ બહાર બોલાવી માથાકૂટ કરી હુમલો કરતાં બે ને ઈજા પહોંચ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ. જોરાવરનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા ખેરાડી રોડ પર આવેલા આરટી ઓફીસ બહાર ફરિયાદીને બોલાવી કોઈ અગમ્ય કારણોસર માથાકૂટ થયા બાદ ફરિયાદ થતા સાહેબ પર હુમલો કરી ઈજા પહોંચાડી અને ત્રણ ઈસમો સામે પોલીસ ફરીયાદ થવા પામી છે.
સુરેન્દ્રનગર રતનપર શક્તિનગર વિસ્તારમાં ઉકાળા વિતરણનો 600થી વધુ લોકોએ લાભ લીધો
આ બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય વિગત મુજબ ફરિયાદી હાર્દિકભાઈને ફોન કરી આરટીઓ ઓફિસની બહાર બોલાવી માથાકૂટ કરી ફરિયાદી તથા સાહેબને દુકાનમાં લઈ જઈ શર્ટર બંધ કરી હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ થવા પામી છે. આ બનાવની ફરિયાદી હાર્દિકભાઈ વશરામભાઈ ઠાકોરએ ગિરિરાજસિંહ, પાર્થભાઈ, ભૌદીપસિંહ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ લતાબેન જાદવ ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણ વિરાટનગરમાં ફરિયાદીની પત્ની સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી હુમલો