વઢવાણ સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે દોડતી કારમાં આગ લાગતાં નાસભાગ મચી હતી
- સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે દોડતી કારમાં આગ લાગતાં નાસભાગ મચી હતી.
- કારમાં આગ લાગતાં નાસભાગ સાથે દોડધામ મચી જવા પામી છે
- ફાયર વિભાગે દોડી આવી આગને કાબુમાં લઇને પાણીનો મારો ચલાવી આગને ઓલવી હતી.

સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે દોડતી કારમાં આગ લાગતાં નાસભાગ મચી હતી. સુરેન્દ્રનગરમાં દોડતી કારમાં આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કારમાં આગ લાગતાં નાસભાગ સાથે દોડધામ મચી જવા પામી છે ત્યારે વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તાર પાસે આ બનાવ બનતા ચાલકનો આબાદ બચાવ થતાં જાનહાની ટળી હતી.
જ્યારે કારમાં એકાએક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠતા જોત જોતામાં આગની લપેટમાં કાર સપળાઇ ગઈ હતી ત્યારે આ રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓમાં કુતુહલતા જોવા મળી હતી બાદમાં આગના બનાવના પગલે ફાયર વિભાગે દોડી આવી આગને કાબુમાં લઇને પાણીનો મારો ચલાવી આગને ઓલવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર અંબિકાનગર-3માં પોલીસે રેઇડ પાડી દેશી દારૂ ઝડપી પાડ્યો હતો