વઢવાણ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની બસો પણ વાવાઝોડા બાદ રાહત કાર્યોમાં ફાળવાઇ
- સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની બસો પણ વાવાઝોડા બાદ રાહત કાર્યોમાં ફાળવાઇ.
- સો વાવાઝોડા બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં રાહતકાર્ય માટે પણ ફાળવવામાં આવી છે.

સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની બસો પણ વાવાઝોડા બાદ રાહત કાર્યોમાં ફાળવાઇ. સુરેન્દ્રનગર એસટી ડેપો હેઠળ આવતી તમામ એસ.ટી. બસો વાવાઝોડાની અસરના કારણે પરિવહન ઉપર બ્રેક લગાવી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વાવાઝોડાના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નિર્ણય લઈને રાજ્યમાં દોડતી તમામ એસટી બસો થંભાવી દઈ મહદંશે કોઈ નુકસાન ન થાય તેને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર મહાલક્ષ્મી રોડ ઉપર તમાકુ અને સિગારેટના વ્યસનથી દૂર રહેવા બોર્ડ લગાવ્યા
ત્યારે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાંથી ઉપડતી અને આવન-જાવન કરતી તમામ બસો વાવાઝોડાના કારણે થંભાવી દેવામાં આવી હતી. તેમજ કેટલીક બસો વાવાઝોડા બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં રાહતકાર્ય માટે પણ ફાળવવામાં આવી છે.