વઢવાણ સુરેન્દ્રનગરના એબીવીપીના કાર્યકરો દ્વારા કોરોનાના દર્દીઓ અને સ્વજનોને નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનો સેવા યજ્ઞ શરૂ
- સુરેન્દ્રનગરમાં ફરી એકવાર પરોપકાર એ જ પરમ ધર્મ ના સુત્રને સાર્થક કરવા સેવાભાવી લોકો જરૂરિયાતમંદ લોકોની વારે આવ્યા છે.
- સુરેન્દ્રનગર એબીવીપીના કાર્યકર્તાઓની પહેલથી ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે.
- કોરોનાના સમય દરમિયાન હોમ કોરોન્ટાઇન થયેલ લોકો તેમજ તેમના ઘરઆંગણે ભોજન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
![વઢવાણ સુરેન્દ્રનગરના એબીવીપીના કાર્યકરો દ્વારા કોરોનાના દર્દીઓ અને સ્વજનોને નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનો સેવા યજ્ઞ શરૂ](http://soham24.in/wp-content/uploads/2021/04/વઢવાણ-સુરેન્દ્રનગરના-એબીવીપીના-કાર્યકરો-દ્વારા-કોરોનાના-દર્દીઓ-300x225.png)
સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં એબીવીપીના કાર્યકરો દ્વારા કોરોનાના દર્દીઓ અને સ્વજનોને નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનો સેવા યજ્ઞ શરૂ કરાયો. સુરેન્દ્રનગરમાં ફરી એકવાર પરોપકાર એ જ પરમ ધર્મ ના સુત્રને સાર્થક કરવા સેવાભાવી લોકો જરૂરિયાતમંદ લોકોની વારે આવ્યા છે.
![વઢવાણ સુરેન્દ્રનગરના એબીવીપીના કાર્યકરો દ્વારા કોરોનાના દર્દીઓ અને સ્વજનોને નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનો સેવા યજ્ઞ શરૂ](http://soham24.in/wp-content/uploads/2021/04/વઢવાણ-સુરેન્દ્રનગરના-એબીવીપીના-કાર્યકરો-દ્વારા-કોરોનાના-દર્દીઓ-1-300x225.png)
જેમાં સુરેન્દ્રનગર એબીવીપીના કાર્યકર્તાઓની પહેલથી ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં કોરોનાના સમય
દરમિયાન હોમ કોરોન્ટાઇન થયેલ લોકો તેમજ તેમના ઘરઆંગણે ભોજન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર મુક્તિધામમાં કેટલાંક લોકો દ્વારા દલીલો કરવામાં આવતા સૂચના બોર્ડ મૂકવામાં આવ્યું
આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ અને તેમના સ્વજનોને પણ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. આમ સમાજ સેવા એ જ રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ર સેવા એ જ અમારો ધર્મ ના સુત્રને એબીવીપીના કાર્યકરોએ સાર્થક કરી બતાવ્યો છે.