સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશયી થયા
- વઢવાણ કોઠારીયા રોડ ઉપર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશયી થયા

વઢવાણ કોઠારીયા રોડ ઉપર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશયી થયા સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લા ઉપર પણ તાઉ-તે નામના વાવાઝોડાનો ખતરો સર્જાયો છે. ત્યારે વાવાઝોડાની અસરના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવતા સોમવારે તેજ ગતિએ પવન ફૂંકાયો હતો.
જેના કારણે વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ કેટલાક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. મુખ્ય રસ્તા ઉપર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી. બાદમાં ધરાશાયી થયેલા વૃક્ષોને રસ્તા ઉપરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ પણ થયો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં તાઉતે વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા વીજળીઓ ગુલ થઇ