તાઉતે વાવાઝોડા અંતર્ગત ચોટીલા પ્રાંત કચેરી હેઠળના તાલુકા મથકોએ કંટ્રોલરૂમ શરુ કરાયા
- તાઉતે વાવાઝોડા અંતર્ગત ચોટીલા પ્રાંત કચેરી હેઠળના તાલુકા મથકોએ કંટ્રોલરૂમ શરુ કરાયા
![તાઉતે વાવાઝોડા અંતર્ગત ચોટીલા પ્રાંત કચેરી હેઠળના તાલુકા મથકોએ કંટ્રોલરૂમ શરુ કરાયા](http://soham24.in/wp-content/uploads/2021/05/તાઉતે-વાવાઝોડા-અંતર્ગત-ચોટીલા-પ્રાંત-કચેરી-હેઠળના-તાલુકા-300x225.png)
ચોટીલા નાયબ કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે હવામાન ખાતાની આગાહી મુજબ તા. ૧૭.૫.૨૦૨૧ થી તા. ૧૯.૫.૨૦૨૧ દરમિયાન તાઉતે વાવાઝોડું ગુજરાત રાજ્યમાંથી પસાર થનાર હોઈ ચોટીલા સબ-ડિવિઝનના ચોટીલા, થાનગઢ તથા મુળી તાલુકાના રહીશોને સાવચેત રહેવા, ઝુંપડા- કાચા મકાનમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવે છે, તેમજ જરૂર જણાયે સ્થાનિક તલાટી કમ મંત્રીના સંપર્કમાં રહેવા જણાવાયું છે.
આ બાબતે તાલુકા મથકે એક કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. જેના સંપર્ક નંબરો નીચે મુજબ છે:
(૧) પ્રાંત કચેરી, ચોટીલા – (૦૨૭૫૧) ૨૮૧૨૭૯
(૨) મામલતદાર કચેરી, ચોટીલા – (૦૨૭૫૧) ૨૮૦૨૭૯
(૩) મામલતદાર કચેરી, મુળી – ૯૮૭૯૩ ૪૧૨૮૭
(૪) મામલતદાર કચેરી, થાનગઢ – ૯૬૬૨૧ ૪૮૭૮૭
(૫) તાલુકા પંચાયત કચેરી, ચોટીલા – (૦૨૭૫૧) ૨૮૦૩૨૦
(૬) તાલુકા પંચાયત કચેરી, મુળી – ૯૬૬૪૮ ૪૯૪૧૦
(૭) તાલુકા પંચાયત કચેરી, થાનગઢ – ૯૬૬૪૮ ૪૯૪૧૦
(૮) નગરપાલિકા, ચોટીલા – ૮૧૪૧૭ ૧૭૧૯૮
(૯) નગરપાલિકા, થાનગઢ – ૮૧૬૦૬ ૩૭૯૧૬
સંભવિત વાવાઝોડા સમયે આપાતકાલીન પરિસ્થિતિમાં ઉપરોક્ત નંબરોનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.
સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશયી થયા