Kala Utsav – કલા ઉત્સવ અંતર્ગત 2023-24ની બાળ કવિ સ્પર્ધાનું આયોજન
કલા ઉત્સવ અંતર્ગત 2023-24ની બાળ કવિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરેન્દ્રનગર પ્રગતિ વિદ્યાલયની વિદ્યાર્થીની ભાવિશા કેતનભાઇ પરમારે ક્યુડીસી કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તેમજ ચિત્ર સ્પર્ધામાં યશ્વી આશિષભાઈ જોશીએ તૃતીય નંબર પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું છે. એસવીએસ કક્ષાએ માધ્યમિક વિભાગના કલા ઉત્સવમાં બાળ કવિ સ્પર્ધામાં ભાવિશા પરમારે વસુદેવ કુટુંબકમ વિષય ઉપર કવિતા રજૂ કરી હતી. શાળા આચાર્યના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીએ શાળા પરિવારનું ગૌરવ વધારતા આનંદની લાગણી જોવા મળી છે.
Kirtan Bhajan – સુરેન્દ્રનગરમાં કીર્તન ભજન અંતાક્ષરી 2023નું આયોજન