સુરેન્દ્રનગર વઢવાણ સુર સાગર ડેરી ખાતે ચેરમેનનાં અધ્યક્ષ સ્થાને સન્માન કાર્યક્રમ યોજાયો
- વઢવાણ સુરસાગર ડેરી ખાતે ચેરમેનની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ યોજાયો.
- આગામી કાર્યક્રમોની રૂપરેખા તેમજ નવા વરાયેલા પદાધિકારીઓની મુલાકાત
![સુરેન્દ્રનગર વઢવાણ સુર સાગર ડેરી ખાતે ચેરમેનનાં અધ્યક્ષ સ્થાને સન્માન કાર્યક્રમ યોજાયો](http://soham24.in/wp-content/uploads/2021/06/સુરેન્દ્રનગર-વઢવાણ-સુર-સાગર-ડેરી-ખાતે-ચેરમેનનાં-અધ્યક્ષ-સ્થાને-સન્માન-કાર્યક્રમ-યોજાયો-300x225.png)
વઢવાણ સુરસાગર ડેરી ખાતે ચેરમેનની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ યોજાયો. સુરસાગર ડેરી ખાતે ચેરમેન બાબાભાઈ ભરવાડ તથા ચોટીલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અજયભાઈ ના અધ્યક્ષ સ્થાને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર વઢવાણ કંસારા બજારમાં રાત્રિ સમય દરમિયાન દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ
જેમાં જિલ્લા ભાજપ પાર્ટી દ્વારા આગામી કાર્યક્રમોની રૂપરેખા તેમજ નવા વરાયેલા પદાધિકારીઓની મુલાકાત સાથે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા પ્રભારી નીતિન ભારદ્વાજ, નિમુબેન બાંભણિયા, સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધનજીભાઈ પટેલ, હરદેવસિંહ પરમાર, મંગળસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા ડોક્ટર અનિરુધ્ધસિંહ પાઢીયાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.