સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાં રાત્રિ કરફ્યુ ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ
- રતનપર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જારી હતું
- તે દરમિયાન રાત્રિ કરફ્યુ ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ.

રતનપર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જારી હતું તે દરમિયાન રાત્રિ કરફ્યુ ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ. રતનપર વિસ્તારના પરબત ચોક રોડ ઉપર પોલીસનું પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન એક ઈસમ રાત્રી કરફ્યુનું જાહેરનામું હોવા છતાં બિનજરૂરી રીતે બહાર નીકળીને અવર-જવર કરતા પોલીસ ફરિયાદ થવા પામી છે.
આ બનાવની પોલીસ કર્મચારી દલપતભાઈ પરમારએ રતનપર ગણેશ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મકવાણા સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણમાં પંજાબ નેશનલ બેંક પાસે રાત્રી કાર્ય બદલ જુદી-જુદી 2 ફરીયાદો નોંધાઈ