સુરેન્દ્રનગર જોરાવનગરમાં અજમો, કપૂરની ગોટી સાથેના પેકેટ તૈયાર કરી 3000થી વધુ પેકેટનું વિતરણ કરાયું
- કોરોનાની વૈશ્વિક મહામારીમાં સુરેન્દ્રનગર જ્યારે સપડાયું છે
- ત્યારે અનેક સેવાકીય કામગીરી સાથે સંકળાયેલા ગ્રુપો આગળ આવ્યા છે.
- જોરાવનગર બગીચા ગ્રુપ દ્વારા ઓક્સિજન બુસ્ટરના પેકેટના વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા.
![સુરેન્દ્રનગર જોરાવનગરમાં અજમો, કપૂરની ગોટી સાથેના પેકેટ તૈયાર કરી 3000થી વધુ પેકેટનું વિતરણ કરાયું](http://soham24.in/wp-content/uploads/2021/04/સુરેન્દ્રનગર-જોરાવનગરમાં-અજમો-કપૂરની-ગોટી-સાથેના-પેકેટ-તૈયાર-કરી-300x225.png)
જોરાવનગરમાં અજમો, કપૂરની ગોટી સાથેના પેકેટ તૈયાર કરી ત્રણ હજારથી વધુ પેકેટનું વિતરણ કરાયું. કોરોનાની વૈશ્વિક મહામારીમાં સુરેન્દ્રનગર જ્યારે સપડાયું છે ત્યારે અનેક સેવાકીય કામગીરી સાથે સંકળાયેલા ગ્રુપો આગળ આવ્યા છે.
![સુરેન્દ્રનગર જોરાવનગરમાં અજમો, કપૂરની ગોટી સાથેના પેકેટ તૈયાર કરી 3000થી વધુ પેકેટનું વિતરણ કરાયું](http://soham24.in/wp-content/uploads/2021/04/સુરેન્દ્રનગર-જોરાવનગરમાં-અજમો-કપૂરની-ગોટી-સાથેના-પેકેટ-તૈયાર-કરી-1-300x225.png)
આ મહામારી વચ્ચે સેવાયજ્ઞ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જોરાવનગર બગીચા ગ્રુપ દ્વારા ઓક્સિજન બુસ્ટરના પેકેટના વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. પેકેટ રસ્તા ઉપરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.
થાનગઢમાં આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાંખી લાખોની લૂંટ
ઉપરાંત યુવાનો એકત્રિત થઈને અલગ અલગ વિસ્તારોમાં જઈને પણ આ પેકેટનું વિતરણ કર્યું હતું આ પેકેટમાં અજમો, કપૂરની ગોટી સહિતનો સમાવેશ થાય છે. આવા પેકેટો અંદાજે 3000થી વધુ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં સવિતાબેન વાડીલાલ મોહનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે વિતરણ કેમ્પ યોજાયો