વઢવાણ સુરેન્દ્રનગર ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
- ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
- ખોડિયાર માતાજીના મઢ ખાતે માતાજીના માંડવાનો પ્રસંગ તારીખ 02 જૂનના રોજ યોજાયો હતો.
- ભાજપના આગેવાનોનું શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું
![વઢવાણ સુરેન્દ્રનગર ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા](http://soham24.in/wp-content/uploads/2021/06/વઢવાણ-સુરેન્દ્રનગર-ચોકડી-ગામ-યોજાયેલ-માતાજીના-માંડવામાં-300x225.png)
ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોકડી ગામે આવેલ ખોડિયાર માતાજીના મઢ ખાતે માતાજીના માંડવાનો પ્રસંગ તારીખ 02 જૂનના રોજ યોજાયો હતો.
આ માંડવાના પ્રસંગમાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા સાથે જિલ્લા કાર્યાલય મંત્રી યોગેશભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના ફૂલ ચોકમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા
તેમજ યુવા ટીમની મોરચાએ પણ ભાગ લઈને ધન્યતા અનુભવી હતી બાદમાં આ વેળાએ ગ્રામજનો દ્વારા ભાજપના આગેવાનોનું શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર જવાહર ચોક પાસે ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ