- Advertisement -
HomeNEWSRajpar - વઢવાણના રાજપર ગામની કેનાલમાં ઝંપલાવી છૂટાછેડા લીધેલા દંપતીનો આપધાત

Rajpar – વઢવાણના રાજપર ગામની કેનાલમાં ઝંપલાવી છૂટાછેડા લીધેલા દંપતીનો આપધાત

- Advertisement -

Rajpar – વઢવાણના રાજપર ગામની કેનાલમાં ઝંપલાવી છૂટાછેડા લીધેલા દંપતીનો આપધાત

Google News Follow Us Link

Suicide of a divorced couple by jumping into the canal of Rajpar village of Wadhwan

  • છૂટેછેડા થયેલા યુવક-યુવતીનો કમરમાં દુપટ્ટો બાંધી કેનાલમાં ઝંપલાવી આપઘાત

વઢવાણના યુવકે 4 મહિના પહેલાં છૂટાછેડા લીધેલી યુવતી સાથે તાલુકાના રાજપર પાસેથી પાસેથી મૂળચંદ તરફ પસાર થતી કેનાલમાં રવિવારની રાત્રે દુપટ્ટો બાંધી ઝંપલાવ્યુ હતુ. સોમવારે બંનેના મૃતદેહ મળતાં પરિવારમાં શોક છવાયો હતો. યુવકે પરિવારને ટેક્સ મેસેજ કર્યા બાદ આપઘાત કરતાં ચકચાર મચી ગઇ છે.

4 મહિના પહેલા છૂટાછેડા થયા હતા

વઢવાણ માલધારી ચોક ગડીયા હનુમાન સામે રહેતા સિંધાભાઈ વરૂના દીકરા 25 વર્ષના રવિભાઈના લગ્ન અંદાજે એક-દોઢ વર્ષ પહેલા અમદાવાદ સેણબાયનગર સોલા રેલવે ક્રોસીંગ સોલા રોડ વિસ્તારમાં રહેતા કરશનભાઇ સરૈયાની 21 વર્ષની દીકરી ગાયત્રીબેન સાથે થયા હતા.

એક જ સમાજના આ યુવક-યુવતીના કોઇ કારણોસર અંદાજે 4 મહિના પહેલા છૂટાછેડા થયા હતા. પરંતુ તા.02-10-2023ને સોમવારે સવારે 09:00 કલાકે રવિભાઈ અને ગાયત્રીબેનના મૃતદેહ કેડેથી દુપટ્ટો અને પટ્ટો બાંધેલી હાલતમાં રાજપર પાસેથી મૂળચંદ તરફ પસાર થતી કેનાલમાંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી.

બી-ડિવીઝન પોલીસ મથકના પીએસઆઈ જી.એન.શ્યારા, હેડકોન્સ્ટેબલ હિંમતભાઈ વડેખણીયા, શક્તિસિંહ વાઘેલા સહિતની ટીમે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Suicide of a divorced couple by jumping into the canal of Rajpar village of Wadhwan

બીજી તરફ નોંધયીય છે કે યુવકે તેના પરિવારને ટેક્સ મેસેજ કરી જાણ કરી કે અમે બંને જણા કેનાલ પર આપઘાત કરીએ છીએ, બાઇક સહિતનો સામાન લઇ જજો. ત્યારબાદ ચાલુ ફોને કટ કરીને કેનાલમાં ઝંપલાવ્યુ હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી હતી. મૃતક યુવક દૂધનો વ્યવસાય કરતો હતો વઢવાણ માલધારી ચોક ગેડીયા હનુમાન સામે રહેતા સિંધાભાઈ વરૂને સંતાનોમાં 3 દિકરાઓ છે.

જેમાં રવિ બીજા નંબરનો દિકરો હતો. રવિભાઈ દૂધનો વ્યવસાય કરતા હતા. અને દૂધની ડેરી પણ ચલાવતા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી હતી. પરંતુ બંનેના મૃતદેહોને પીએમ માટે ગાંધી હોસ્પિટલે લાવવામાં આવતા બંનેના પરિવારો સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા. આ ઘટનામાં જ્યાંથી બંને પડ્યા અને જે જગ્યાથી મૃતદેહ મળ્યા તેનું અંતર પણ 1 થી 2 કિમી સુધી થવાનો અંદાજ હોવાની વિગતો બહાર આવી હતી.

યાત્રાધામ બેચરાજીના શંખલપુરમાં મૈયાની શોભાયાત્રા કઢાઈ, ‘બોલ માડી બહુચર જય જય બહુચર’ના જયઘોષ સાથે હજારો ભક્તો જોડાયા

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...